Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

રાજપીપળા મિતગ્રૂપના સભ્યએ ઇમરજન્સીમાં એક દર્દીને લોહી આપી જીવન બચાવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના સેવાભાવિ મિતગ્રૂપનું અભિયાન બ્લડ ડોનેશન દ્વારા ઘણા જરૂરીયાતમંદ દર્દીઓને લોહી આપી જીવતદાન આપ્યું છે ત્યારે આજે પણ વધુ એક ચાણોદ ગામના રહેવાસી સતીશભાઈ માછી નામના દર્દીને લોહીની ઈમરજન્સીમાં જરૂર હોવાની જાણ થતાં જ મિતગ્રુપના સદસ્ય બિટટુભાઈ માછીએ બ્લડની સેવા આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સતીષભાઈ માછી ની જિંદગી બચાવવા મદદ કરી હોય આવા કોરોના ના કપરા સમયમાં પણ મિતગ્રૂપના સદસ્યો નિ:સ્વાર્થ ભાવે રક્તદાન કરે છે.જે લોકો માટે જીવતદાન સમાન સાબિત થાય છે

(11:31 pm IST)