Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

મુખ્યમંત્રી રૂપાણી નવવર્ષનો ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં પૂજા અર્ચનથી કરશે પ્રારંભ

અમદાવાદ નગરદેવી ભદ્રકાળી માતા ના દર્શન પૂજન માટે પણ જશે.

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી  આવતી કાલ સોમવાર 16 નવેમ્બરે  વિક્રમ સંવત 2077 ના પ્રારંભ દિવસે નૂતન વર્ષ નો આરંભ સવારે 8 વાગ્યે ગાંધીનગર માં પંચદેવ મંદિર માં પૂજન અર્ચન થી કરશે.

મુખ્યમંત્રી ત્યાર બાદ સવારે 9 કલાકે અમદાવાદ ના નગર દેવી ભદ્રકાળી માતાના દર્શન પૂજન માટે પણ જશે.
મુખ્યમંત્રી પરંપરાગત રીતે પ્રતિ વર્ષ નૂતન વર્ષ દિનનો પ્રારંભ પંચદેવ મંદિર અને ભદ્રકાળી માતાના દર્શન પૂજન થી કરે છેઆ પરંપરા તેમણે આ વર્ષે પણ જાળવી રાખી છે

(6:10 pm IST)