Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

રાજપીપળામાં શ્રી રામ જન્મભૂમી મંદિર નિમાઁણ નિધિ સમપઁણ અભિયાનમાં કુલદીપસિં ગોહીલે રૂ.૨૧,૦૦૦નું યોગદાન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન કાર્યાલયમાં નિધિ સમર્પણ અભિયાનની શરૂઆત કરાઈ છે.જેમાં પ્રથમ દિવસે કથાકાર શ્રી વિરંચી પ્રસાદ તથા રાજપીપળા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી સિદ્ધેશ્વર સ્વામી અને સતકેવલ સાહેબ સંત નિશ્ચલ દાસ અને બોરીયા વાલ્મિકી આશ્રમના સંત શ્રી કમલાકર મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હિન્દુ સમાજને નિધિ અભિયાનમાં જોડાવવા માટે આહવાહન કરવામાં આવ્યું હતું નિધિ સમર્પણ અભિયાનમાં ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ એક લાખ રૂપિયાનું દાન આપ્યું જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી સિદ્ધેશ્વર સ્વામીએ રાજપીપળા સ્વામિ નારાયણ મંદિર તરફથી ૫૧,૦૦૦ નું દાન આપ્યું જ્યારે કુલદીપસિંહ અલકેશસિંહ ગોહિલ તરફથી રૂ. ૨૧ હજારનો ચેક દાન પેટે આપવામાં આવ્યો હતો.

(10:07 pm IST)