Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક વધારવા આહાર મેનેજમેન્ટ એસો, કરશે મુખ્યમંત્રીને રજૂઆત

રાત્રે 11 વાગ્યાની કરવામાં આવે તો આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ તેમજ કારીગરોને લાભ મળશે

અમદાવાદ :  કોરોના મહામારીના કારણે શહેરમાં 700થી વધારે રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના બજારો પર માઠી અસર જોવા મળી રહી છે. આ મંદીના કારણે હોટલા કારીગરો પણ પોતાના વતનો પરત ફરી ગયા છે. જો કે, શહેરમાં રાત્રિ કફર્યુના કારણે લોકો પોતાના ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. કફર્યુનો સમય વધારવા માટે આહાર મેનેજમેન્ટ એસોશિએશન દ્વારા સીએમ રુપાણીને કફર્યું સમય વધારવા માટે રજૂઆત કરશે.

 આહાર મેનેજમેન્ટ એસોશિએશનના પ્રમુખ નરેન્દ્ર પુરોહિતે આ અંગે જણાવ્યું હતું કે, હાલ 10 વાગ્યા બાદ કર્ફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યું છે.જેના કારણે લોકો પોતાના ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. આ કર્ફ્યૂની સમયમર્યાદા રાત્રે 11 વાગ્યાની કરવામાં આવે તો આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ તેમજ કારીગરોને લાભ મળશે. આ બાબતે એસોસીએશન દ્વારા આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી સમક્ષ આવેદનપત્ર આપવામાં આવશે. કોરોના કાળમાં ગત માર્ચ મહિના બાદ શહેરમાં 40 ટકા એટલે કે 700થી વધારે રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીના એકમો બંધ થઇ ગયા છે

બીજી તરફ કેટરીંગના વ્યવસાય સાથે પણ મહત્તમ રાજસ્થાની નાગરિકો જોડાયેલા છે. જોકે લોકડાઉન બાદ આ લોકો પોતાના વતન જતાં રહ્યા છે. હજુ પણ અમદાવાદમાં લગ્ન પ્રસંગ માટે માત્ર 100 મહેમાનોની જ મુક્તિ હોવાથી તેઓ પરત આવ્યા નથી. હવે આગામી 18મી જાન્યુઆરીએ એક મુર્હૂત છે. જે બાદ છેક એપ્રિલમાં મુર્હૂત છે. ત્યારે હવે પ્રસંગમાં મહેમાનોની હાજરી 100થી વધારીને 300 કરવી જોઇએ. હવે આ ઉદ્યોગ ધમધમતાં નહીં થાય તો આ ઉદ્યોગ પડી ભાંગશે. વ્યવસાય સાથે સંકળાયેલા હજારો લોકો પણ બેકાર થઇ જશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં જયારથી રાત્રિ કફર્યું જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી હોટલ માલિક અને ખાણીપીણીના બજારો એકદમ ઠપ્પ જોવા મળી રહ્યા છે. ઘણા કારીગરો તો પોતાના વતનો પાછા જતા રહ્યા છે. જેથી સીએમ રુપાણીને કફર્યુની સમયમર્યાદા વધારવા માટેની રજૂઆત પણ કરવામાં આવીછે 

(11:53 pm IST)