Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

સુરતના ઉમરા ગામે પિતાના મૃત્યુ થતા નરાધમ માસાએ તરૂણીની એકલતાનો લાભ લઇ શારીરિક અડપલાં કરતા ગુનો દાખલ

સુરત: શહેરના ઉમરા ગામ વિસ્તારમાં રહેતા માયાબેન (ઉ.વ. 35 નામ બદલ્યું છે) ના પતિનું મૃત્યુ થયા બાદ હાલમાં પરિવારની સંમતિથી લલીત (નામ બદલ્યું છે) સાથે રહે છે. 

બે દિવસ અગાઉ માયાની પુત્રી સંગીતા (ઉ.વ. 17 નામ બદલ્યું છે) ઘરમાં એકલી હતી ત્યારે તેના માસા પ્રકાશ વસાવા (રહે. નેહરૂ નગર, સરગમ શોપીંગ સેન્ટરની પાછળ, ઉમરા) ઘરમાં ઘુસી ગયો હતો. 

સંગીતા ઘરકામ કરી રહી હતી ત્યારે પાછળથી પકડી લઇ અશ્લીલ હરકતો કરતા તે ડરી ગઇ હતી અને ઘરની પાછળ વાડામાં વાસણ ધોવા ચાલી ગઇ હતી. પરંતુ પ્રકાશ ત્યાં પણ પહોંચી ગયો હતો અને પેન્ટ ઉતારી પોતાનું ગુપ્તાંગ બતાવ્યું હતું. 

(5:12 pm IST)