Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના મોતીપુરા સર્કલ નજીક ટ્રક-ટ્રેલર વચ્ચે સર્જાયેલ જીવલેણ અકસ્માતમાં રસ્તો ઓળંગતા આધેડ પર ટ્રેલર ફરી વળ્યું:ઘટનાસ્થળેજ મૃત્યુ નિપજતા અરેરાટી

સાબરકાંઠા: જિલ્લામાં આજે બપોરે હિંમતનગરના મોતીપુરા સર્કલ પર પોલીસ ચોકી સામે હેવી ટ્રક- ટ્રેલરે સર્જેલા  જીવલેણ અકસ્માતમાં  રોડ ક્રોસ કરવા જતા આધેડ ઉપર ટ્રેલર ના પૈડા ફરી વળતા  માવજી ધના સુતરીયા રહે. વાવડીતા.  હિંમતનગરનું ઘટનાસ્થળે મોત થયું હતું.

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા  ઉમટી પડયા હતા. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી મૃતકની લાશનો કબજો લઇ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અકસ્માતને કારણે આ સ્થળે ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ સર્કલ ઉપર છાશવારે અકસ્માતોની પરંપરા સર્જાતી રહે છે અને  અનેક લોકો આ સર્કલ ઉપર જાન ગુમાવી ચુક્યા છે ત્યારે વાહન ગતિ નિયમન કરવાની તાતી જરૂર છે.

 આજે વધુ એક આધેડના મોતને લઈને આવતાજતા વાહનચાલકોરાહદારીઓને ટોળેટોળા ભેગાં થઈ ગયા હતા અને અકસ્માતોની પરંપરાને પગલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. સામે જ પોલીસ ચોકી છે .પોલીસે બનાવના સ્થળે આવી લાશને પીએમ. માટે મોકલી ટ્રક ચાલકને અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(5:14 pm IST)