Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

લોકડાઉન બાદ પહેલીવાર ગાંધીનગર સ્થિત વિખ્યાત અક્ષરધામ મંદિર સોમવારથી દર્શનાર્થીઓ માટે ખુલશે

મંદિરનું ગાર્ડન, ફૂડકોર્ટ પણ ખોલવામાં આવશે :કોરોના માટેની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

ગાંધીનગરઃ ગાંધીનગર સ્થિત વિશ્વ વિખ્યાત અક્ષરધામ લોકડાઉન પછી પ્રથમ વખત સોમવારથી ખૂલશે. મંદિર સાંજે પાંચથી સાડા સાત વાગ્યા દરમિયાન ખૂલ્લુ રહેશે. મંદિરની સાથે મંદિરનું ગાર્ડન, ફૂડકોર્ટ પણ ખોલવામાં આવશે. મંદિરમાં દર્શન માટે આવનારા દર્શનાર્થીઓએ કોરોના માટેની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

આ મંદિર અનલોક-5 હેઠળ પહેલા કેન્દ્ર સરકાર અને તેના પછી રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાઓ હેઠળ ખુલ્લી રહ્યું છે. જો મંદિરમાં ભીડ વધારે જમા થાય તો કોરોનાના ચેપના ભયને ધ્યાનમાં રાખીને મંદિરના સત્તાવાળાઓ પાસે મંદિરને બંધ કરવાનો અધિકાર રહેશે.

(10:57 pm IST)