Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સોનવાડામાં નરકંકાલ મળ્યા બાદ પોલીસે ફોરેન્સિક તપાસ હાથ ધરી

વલસાડ ડીએસપી રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપુતે લાશ મળી એ સ્થળ સિલ કરી ઝીણા ઝીણા પુરાવા એકત્ર કરવા માટે તપાસ હાથ ધરી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના ડુંગરી નજીકના સોનવાડા ગામેથી નરકંકાલ મળી આવ્યું હતુ. આ નરકંકાલ કયા સંજોગોમાં અહીં આવ્યું. આ કોનું નરકંકાલ છે. તેનું મોત કુદરતી રીતે થયું કે, તેની હત્યા થઇ છે. તેની તપાસ ડુંગરી પોલીસે હાથ ધરી છે. આ નરકંકાલ ની ફોરેન્સિક તપાસ પણ તેમણે હાથ ધરાવતાં તે પુરુષનું હોવાનું બહાર આવ્યું છે

 . વલસાડ ડીએસપી રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપુતે લાશ મળી એ સ્થળ સિલ કરી ઝીણા ઝીણા પુરાવા એકત્ર કરવા માટે તપાસ હાથ ધરી છે. આ કંકાલ મળ્યા બાદ તેના મૃત્યુનું રહસ્ય શોધવું પોલીસ માટે એક ચેલેંજ બની રહેતું હોય છે. આ ચેલેંજ ડુંગરી પોલીસે ઉપાડી લીધી છે. ડુંગરી પોલીસે તેની ફોરેન્સિક તપાસ કરતાં આ કંકાલ પુરુષનું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ આ કંકાલ કેટલું જુનું છે તેની જાણકારી માટે પણ તેમણે ફોરેન્સિક એક્સપર્ટની સલાહ મુજબ તપાસ હાથ ધરી છે. જેના માટે તેમણે જે ખેતરમાંથી આ કંકાલ મળ્યું એ ખેતરનો એટલો વિસ્તાર સીલ કરી દીધો હતો અને ત્યાં ડુંગરી પીએસઆઇ સહિતની ટીમ પહોંચી ગઇ અને તેમણે તપાસ હાથ ધરી હતી.

(12:51 am IST)