Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

વીજ યુનિયનો - સરકાર વચ્ચે સમાધાન : તમામ ભથ્થાઓ ૦.૮ના ગુણાંકથી ચૂકવાશે : ૨૦૧૬થી ચડત એરીયર્સ ૧૦ હપ્તામાં ચૂકવી દેવાશે

તમામ આંદોલન - હડતાલનો અંત : આભાર વ્યકત કરતા બી.એમ.શાહ અને અન્ય આગેવાનો

રાજકોટ તા.૧૯  ગુજરાત રાજયના  નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં તથા ઉર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલની હાજરીમાં 'ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ' પ્રમુખો શ્રી ગોરધનભાઇ ઝડફીયા, શ્રી ભરતભાઇ પંડયા, શ્રી ભરતભાઇ ડાંગર, ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમર, જીયુવીએનએલ મેનેજીંગ ડાયરેકટર શ્રી મતી શાહમીના હુશેન મેડમ , શ્રી મુનશી, રાય  સર્વેની તથા તમામ યુનિયનો/ એસોસીએશનના હોદ્દેદારોની હાજરીમાં ખુબજ સુલેહભર્યા વાતાવરણમાં નિખાલસતાથી ચર્ચા વિચારણા મિટીંગ થયેલ, જેમાં જીયુવીએનએલના તમામ વિજકર્મચારીઓ, અધિકારીઓ, ઈજનેરોની લાગણી અને માગણીઓના અનુસંધાને તા. ૦૧/૦૧/૨૦૨૧ થી ( છઠ્ઠા પગારના ભથ્થાઓ મુજબ ) સાતમા પગાર પંચના બેઝિક પર તમામ ભથ્થાઓ ૦.૮ના ગુણાંક થી ચુકવવા મંજુરી આપેલ છે. સાથોસાથ  તા ૦૧/૦૧/૨૦૧૬ થી અસરથી ચડતર ભથ્થાઓ નું એરીયર્સ દશ હપ્તામા ચુકવણુ કરવામાં આવશે. જે સરકાર શ્રી એ વિશ્વાસ આપેલ છે, જેથી સરકારનો હૃદયપુર્વક આભાર માને છે, તેમજ સુધારેલ પરીપત્ર વહેલી તકે ઉર્જા ખાતા દ્વારા બહાર પાડવામાં આવશે.

આથી ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા પાઠવવામાં આવેલ આંદોલન નોટીસ અનુસંધાનના તમામ કાર્યક્રમો પરત ખેંચવામાં આવે છે. સમિતિ દ્વારા સરકારશ્રીનો, તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને ઇજનેરો તથા પ્રીન્ટ મિડીયા- ઇલેકટ્રોનિકસ મિડીયાનો તેમને સંપૂર્ણ સાથ સહકાર બદલ હૃદયપુર્વક આભાર માન્યો હતો.

(12:48 pm IST)