Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સુરત :કોરોના વાયરસના કારણોસર ધંધામાં મંદી આવી જતા કાપોદ્રાના 30 વર્ષીય શખ્સે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરની સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કાપોદ્રા વિસ્તારના શ્રી રામનગરમાં રહેતા 30 વર્ષીય નિરંજનભાઈ ગતેભાઈ કંપા ગઈકાલે સવારથી રાત્રી દરમ્યાન ઘરમાં છતના એંગલ સાથે કપડુ બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. નિરંજનભાઇના સબંધીએ કહ્યું હતું કે, તે મૂળ ઓરિસ્સાના ઘનશ્યામના વતની હતા. તે કોરોનાની મહામારી ચાલી રહી હોવાથી થોડા દિવસ પહેલા વતનથી સુરત આવ્યા હતા. તે અગાઉ સંચાખાતામાં કામ કરતા હતા. હાલમાં કામ ધંધો ચાલતો નહીં હોવાથી તેમને નાણાકીય તકલીફ પડતી હતી. જેના કારણે તે માનસિક તાણ અનુભવતા હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. આ અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:45 pm IST)