Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો : વધુ 1147 દર્દીઓ સાજા થયા: નવા 996 પોઝીટીવ કેસ :વધુ 8 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 1,60,722 થઇ :મૃત્યુઆંક 3646 થયો:કુલ 1,42,799 લોકોએ કોરોનાને હરાવ્યો

સતત નાવમાં દિવસે નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધુ : આજે સૌથી વધુ સુરતમાં 227 કેસ, અમદાવાદમાં 178 કેસ,વડોદરામાં 112 કેસ,રાજકોટમાં 83 કેસ, જામનગરમાં 66 કેસ ,ગાંધીનગરમાં 40 કેસ, મહેસાણામાં 32 કેસ, પાટણમાં 26 કેસ,કચ્છમાં 21 કેસ,અમરેલીમાં 18 કેસ,બનાસકાંઠામાં 16 કેસ, સુરેન્દ્રનગરમાં 15 કેસ નોંધાયા : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો હતો ત્યારે આજે નવમા દિવસે નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધી છે આજે 1147 દર્દીઓ સાજા થયા છે જયારે નવા 996 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,60,722 થઇ છે  આજે વધુ 1147 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,42,799 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 8 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક  3646 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં  996 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 8 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3646 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14277 છે જેમાંથી વેન્ટીલેટર પર 71 દર્દીઓ છે જ્યારે 14206 દર્દીની હાલ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેઈટ  88 ,85 ટકા થયો છે  રાજ્યમા આજે કોરોનાના 52,192 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં 54,26,621 ટ્સ્ટ કરાયા છે

રાજ્યમાં આજે  ,અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, સુરતમાં 1,વડોદરામાં 1, અને વડોદરા  કોર્પોરેશનમાં 1  મળીને કુલ 8લોકોના મોત થયા છે   .

  રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના  996 પોઝિટિવ કેસમાં સૌથી વધુ સુરતમાં 227 કેસ, અમદાવાદમાં 178 કેસ,વડોદરામાં 112 કેસ,રાજકોટમાં 83 કેસ, જામનગરમાં 66 કેસ,,ગાંધીનગરમાં 40 કેસ, મહેસાણામાં  32 કેસ, પાટણમાં 26 કેસ,કચ્છમાં 21 કેસ,અમરેલીમાં 18 કેસ,બનાસકાંઠામાં 16 કેસ, સુરેન્દ્રનગરમાં 15 કેસ નોંધાયા છે 

(7:27 pm IST)