Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

રાજપીપળા ગાયત્રી મંદિર પાસે મો.સા.ભેંસ સાથે અથડાતા મો.સા.ચાલાકનું સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ગાયત્રી મંદિર પાસે તિલકવાડા તાલુકાના અલવા ગામના જગદીશભાઈ ગોવિંદભાઈ તડવી( ઉ.વ ૪૫ )ની મો.સા.રસ્તે ચાલતી ભેંસ સાથે અથડાતા ગંભીર ઇજા બાદ રાજપીપળા સિવિલથી વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હોય રાજપીપળા પોલીસે અ.મોત દાખલ કરી હતી.
 રાજપીપળા શહેરમાં રખડતા જાનવરોનો હાલમાં ત્રાસ અતિશય વધ્યો હોવા છતાં તંત્ર આખ આડા કાન કરતું હોય અવાર નવાર રાહદારીઓ કે વાહન ચાલકો તેનો ભોગ બને છે જ્યારે આ ઘટનામાં એકનો ભોગ લેવાયો હોય તંત્ર પોતાની આળસ ખંખેરી રખડતા જાનવરો બાબતે ગંભીર બને તે ખાસ જરૂરી છે નહિ તો ક્યારેક કોઈ બાળક પણ આમ શિકાર બનશે તે માટે જવાબદાર કોણ ગણાશે..?

(10:22 pm IST)