Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

વિજયભાઇ રૂપાણી કાલે પી.પી.ઇ. કીટ પહેરીને અનિલ જ્ઞાન મંદિર સ્કુલ ખાતે મતદાન કરશે

કોરોનાના કારણે તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ : સ્કુલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

રાજકોટ,તા. ર૦: કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કાલે રાજકોટ આવીને પીપીઇ કીટ પહેરીને મતાધિકારનો ઉપયોગ કરશે. કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યની ૬ મહાનગર પાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાવાનું છે, ત્યારે છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસો વધતા વહીવટી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મનપા ચૂંટણીમાં કોરોના સંક્રમિત દર્દીઓ મતદાન કરી શકે, તે માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કોરોના સંક્રમિત દર્દીઓના મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ, કોરોના પોઝિટિવ દર્દીએ મતદાનના આગલા દિવસે એટલે કે આજે ૨૦ ફેબ્રુઆરીના શનિવારના રોજ જેપ્રતે વોર્ડના રિર્ટનિંગ ઓફિસર સમક્ષ પોતાનું નામ ફરજિયાત નોંધાવવાનું રહેશે.

આ સાથે સરકાર તેમજ અન્ય પ્ગ્ગ્લ્ ડૉકટરનું સર્ટીફિકેટ પણ આપવાનું રહશે. જેમાં લખેલું હોવું જોઈએ કે, કોરોના સંક્રમિત વ્યકિત પોલિંગ બૂથ પર મતદાન કરી શકે તેવી સ્થિતિમાં છે.

આ સિવાય કોરોના સંક્રમિત દર્દીએ આરોગ્ય અધિકારી પાસેથી PPE કિટ લેવાની રહેશે અને મતદાન માટે આવતા સમયે આ કિટ પહેરવી ફરજિયાત રહેશે. કોરોના સંક્રમિત દર્દીઓ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનના દિવસે સાંજે ૫ થી ૬ સુધીનો ૧ કલાકનો ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી હાલ કોરોના સંક્રમિત છે અને અમદાવાદની યુએન મેહતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તાજેતરમાં વડોદરા ખાસે એક જનસભાને સંબોધવા દરમિયાન મુખ્યમંત્રીની તબીયત લથડી હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા થકી પોતાની તબીયતની જાણકારી આપતા જણાવ્યું હતું કે, તેમની તબીયત સુધારા પર હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ મતદાનની જાગૃતિ અંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત થવાને લીધે હું તમને પ્રત્યક્ષ મળવા માટે આવી શક્યો ના હોવાથી વીડિયો મારફતે અપીલ કરું છું. ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા માટે ભાજપાના નિશાન કમળ પર મતદાન કરીને લોકશાહીના આ પર્વની ઉજવણી કરીએ.

મુંખ્યમંત્રી પણ ડૉકટરની સલાહ મુજબ PPE કિટ પહેરીને રાજકોટમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગઈકાલે રેમડેસિવીર ઈન્જેકશનના ડૉઝ પૂર્ણ કર્યા છે. હાલ તેમની તબીયત સુધારા પર છે. આથી ડૉકટરોની સલાહ મુજબ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી PPE કિટ પહેરીને રાજકોટના અનિલ જ્ઞાન મંદિર ખાતેના તેમના મતદાન મથકે મત આપવા જઈ શકે છે. આવતી કાલે મતદાન કર્યા બાદ તેઓ ફરીથી હોસ્પિટલમાં એડમીટ થઈ જશે.

(12:37 pm IST)