Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

શ્રી ગણપતિ મંદિર રુદાતલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આનંદ ગરબા મંડળ ડાંગરવા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

તસવીર- ચૈતન્ય સતિષપ્રસાદ ભટ્ટ (રામપુરા)

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામમાં સુપ્રસિધ્ધ શ્રી ગણપતિ મંદિર આવેલું છે. શ્રી ગણપતિ મંદિર રુદાતલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આનંદ ગરબા મંડળ ડાંગરવા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આનંદ ગરબા મંડળ ડાંગરવાના ભાઈ બહેનો તથા શ્રી ગણપતિ મંદિર રૂદાતલના પૂજારી ઉપસ્થિત રહ્યા હતા.

(5:20 pm IST)