Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

શેર ગામમાં ભારતમાતા તથા સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ સ્થાપનની વિધિ કરવામાં આવી

ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :
તસવીરઃ- શૈલેશભાઇ પટેલ (માંડલ) અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકાના શેર ગામમાં ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ભારતમાતા તથા સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ સ્થાપનની વિધિ કરવામાં આવી હતી.  આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.  શેર ગામમાં ભારતમાતા તથા સ્વામી વિવેકાનંદજી ની મૂર્તિ સ્થાપનની વિધિમાં ગામના  ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(5:25 pm IST)