Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ગળતેશ્વર તાલુકાના વાડદથી સોનેયા જવાનો 4 કિમીના રસ્તાની હાલત બિસમાર થઇ જતા લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી

નડિયાદ:ગળતેશ્વર તાલુકાના વાડદથી સોનેયા ગામ સુધીનો ચાર કિ.મીનો રસ્તો ખખડધજ થઇ ગયો છે. તાલુકાના ૨૦ થી ૨૫ ગામોની જાહેર જનતાનો જીવાદોરી સમાન રસ્તો જર્જરીત થતા સ્થાનિક નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે.આ રસ્તાને તાત્કાલિક ડામર રોડ કરવા માંગ ઉઠી છે.

ગળતેશ્વર તાલુકાના ૨૦ થી ૨૫ ગામોની જાહેર જનતા વાડદ થી સૌનેયા થઇ વસો થઇને સેવાલિયા જાય છે.આ રસ્તાનો સીધો સંપર્ક પાંચ થી વધુ ગામોનો આશરે ૨૦ થી ૨૫ હજાર જાહેર જનતાને આવવા જવાનો મુખ્ય રસ્તો છે.આ રોડ રાતદિવસ ધમધમતો રહેતો હોવાથી તાત્કાલિક ડામર રોડ કરવાની માંગ સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે.

(5:34 pm IST)