Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

નખત્રાણાના વાલકાના સીમાડામાં આગ લાગતા ઘાસ બળીને ખાખ

પીજીવીસીએલના થાંભલામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ફાટી નીકળી

નખત્રાણા : તાલુકાના વાલકાના સીમાડામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જો કે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર પીજીવીસીએલના થાંભલામાં શોર્ટ સર્કિટ થવાના કારણે શુક્રવારે બપોરે આગ ફાટી નીકળી હતી. કચ્છમાં સરચરાચર વરસાદ થયા બાદ ઉઘી નીકળેલા ઘાસને કારણે છેલ્લા ઘણા સમયેથી અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાં આગના બનાવો વધ્યા છે. તેવામાં નખત્રાણા તાલુકાના વાલકાના સીમાડામાં આગ લાગતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

 આગના કારણે છથી સાત એકર જેટલા વિસ્તારમાં મહામુલું ઘાસ બળીને ખાખ થઈ ગયુ હતુ. આગના બનાવને પગલે ગ્રામજનોએ હાથ વગા સાધનો વડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો

(9:12 pm IST)