Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

રાજ્યમાં કોરોનાનો હાહાકાર : રોજ નવા રેકોર્ડબ્રેક કેસ : અત્યાર સુધીના સર્વાધિક 12,553 પોઝિટિવ કેસ : વધુ 4802 દર્દીઓ સ્વસ્થ થયા : 125 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 5740 થયો : કુલ 3,50,865 લોકોએ કોરોનાને હરાવ્યો :વધુ 1,25,942 લોકોનું રસીકરણ કરાયું:

અમદાવાદમાં 4906 કેસ,સુરતમાં 2340 કેસ,વડોદરામાં 731 કેસ, રાજકોટમાં 516 કેસ,જામનગરમાં 509 કેસ, મહેસાણામાં 495 કેસ, ગાંધીનગરમાં 282 કેસ, ભાવનગરમાં 260 કેસ, બનાસકાંઠામાં 227 કેસ,ભરૂચમાં 206 કેસ, કચ્છમાં 200 કેસ,જૂનાગઢમાં 188 કેસ, પાટણમાં 185 કેસ,તાપીમાં 135 કેસ, ખેડામાં 117 કેસ, દાહોદમાં 115 કેસ, સાબરકાંઠામાં 112 કેસ, નર્મદામાં 110 કેસ, અમરેલીમાં 98 કેસ, નવસારી અને પંચમહાલમાં 93-93 કેસ, વાસલાડમાં 82 કેસ, સુરેન્દ્રનગરમાં 80 કેસ,આણંદમાં 72 કેસ,મોરબીમાં 70 કેસ, મહીસાગરમાં 62 કેસ, ગીર સોમનાથમાં 61 કેસ, અરવલ્લીમાં 59 કેસ નોંધાયા : હાલમાં 84,126 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ આજે સૌથી વધુ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે રાજ્યમાં પહેલીવાર  આજે રાજ્યમાં 12,553 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ  4802 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા રેકોર્ડબ્રેક 12,553 કેસ નોંધાયા છે જયારે વધુ 4802 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ  3,50,865 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 125 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 5740 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 79,61 ટકા  થયો છે

 રાજ્યમાં આજે સુરત કોર્પોરેશનમાં 25, અમદાવાદ કોર્પોરેશનમાં 22,વડોદરા કોર્પોરેશનમાં 7,રાજકોટ કોર્પોરેશનમાં 8, મહેસાણામાં 3,સુરતમાં 4,વડોદરામાં 5,જામનગર કોર્પોરેશનમાં 4, બનાસકાંઠા અને ભરૂચમાં 3-3 ,જામનગરમાં 4,પાટણમાં 2,ગાંધીનગર કોર્પોરેશનમાં 1,ભાવનગર કોર્પોરેશનમાં 3,4રાજકોટમાં ,ખેડામાં 1,સાબરકાંઠા અને ભાવનગરમાં 3-3 ,ગાંધીનગરમાં 2,જૂનાગઢ,અમદાવાદ અને વલસાડમાં 1-1, સુરેન્દ્રનગર અને મોરબીમાં 3-3, મહીસાગરમાં 2,અરવલ્લી, પોરબંદર અને ડાંગમાં 1-1,દેવભૂમિ દ્વારકામાં 3અને છોટા 1ઉદેપુરમાં  મળીને 125 લોકોના મોત થયા છે  કુલ કુલ મૃત્યુઆંક 5740 થયો છે

    રાજ્યમાં હાલ 84,126 એક્ટિવ કેસ છે, જેમાંથી 361 લોકો વેન્ટિલેટર પર અને 83,765 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3,50,865 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 90,93,538 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 16,22,998 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 1,07,16,536 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની ઉંમર વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી  કુલ 54,548 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 64,510 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 12,553 કેસમાં અમદાવાદમાં 4906 કેસ,સુરતમાં 2340 કેસ,વડોદરામાં 731 કેસ,  રાજકોટમાં 516 કેસ,જામનગરમાં 509 કેસ,  મહેસાણામાં 495 કેસ, ગાંધીનગરમાં 282 કેસ, ભાવનગરમાં 260 કેસ, બનાસકાંઠામાં 227 કેસ,ભરૂચમાં 206 કેસ, કચ્છમાં 200 કેસ,જૂનાગઢમાં 188 કેસ,  પાટણમાં 185 કેસ,તાપીમાં 135 કેસ, ખેડામાં 117 કેસ, દાહોદમાં 115 કેસ, સાબરકાંઠામાં 112 કેસ, નર્મદામાં 110 કેસ, અમરેલીમાં 98 કેસ, નવસારી અને પંચમહાલમાં 93-93 કેસ, વાસલાડમાં 82 કેસ, સુરેન્દ્રનગરમાં 80 કેસ,આણંદમાં 72 કેસ,મોરબીમાં 70 કેસ, મહીસાગરમાં 62 કેસ, ગીર સોમનાથમાં 61 કેસ, અરવલ્લીમાં 59 કેસ નોંધાયા છે

(8:03 pm IST)