Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

રાજ્યમાં કોરોનાંનો કહેર યથાવત : નવા 1430 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 16 લોકોના મોત :કુલ કેસનો આંક 1,24,767 થયો :વધુ 1316 દર્દીઓ સાજા થતા 105091 લોકોએ કોરોનાને હરાવ્યો

સુરતમાં સૌથી વધુ 290 કેસ ,અમદાવાદમાં 177 કેસ, વડોદરામાં 137 રાજકોટમાં 143 કેસ ,જામનગરમાં 123 કેસ, મહેસાણામાં 60 કેસ,બનાસકાંઠામાં 52 કેસ,ગાંધીનગરમાં 47 કેસ,ભાવનગરમાં 38 કેસ,અમરેલીમાં 32 કેસ,મોરબીમાં 29 કેસ, પંચમહાલમાં 28 કેસ, કેસ નોંધાયા :રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકડામાં તફાવત યથાવત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે આજે નવા 1430  પોઝિટિવ કેસ નોંધાયા હતા.બીજી તરફ 1316 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે.  અત્યાર સુધીમાં કુલ 105091 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 16 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3339 થયો છે

અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવરહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 16336 છે જેમાં 16248 સ્ટેબલ છે જયારે 89 દર્દીઓ વેન્ટિલેટર પર છે રાજ્યમાં રિકવરી રેટ 84,23% પર પહોંચ્યો છે. ત્યારે આજે 1,316 દર્દીઓ સાજા થયા છે.

  રાજ્યમાં આજે નોંધાયેલા 1430  પોઝિટિવ કેસમાં સુરતમાં સૌથી વધુ  290 કેસ ,અમદાવાદમાં  177 કેસ, વડોદરામાં 137 રાજકોટમાં 143 કેસ ,જામનગરમાં 123 કેસ, મહેસાણામાં 60 કેસ,બનાસકાંઠામાં 52 કેસ,ગાંધીનગરમાં 47 કેસ,ભાવનગરમાં 38 કેસ,અમરેલીમાં 32 કેસ,મોરબીમાં 29 કેસ, પંચમહાલમાં 28 કેસ, કેસ  નોંધાયા છે

(8:00 pm IST)