Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ગાંધીનગરથી આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૧નું સૂર્યમંદિર મોઢેરા ખાતે ઇ-ઉદ્દઘાટન કરાશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે તા. ૨૩ જાન્યુઆરીના રોજ સૂર્યમંદિર મોઢેરા ખાતે યોજાનાર એક દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૧નું સાંજે ૬.૩૦ કલાકે ગાંધીનગરથી ઇ-ઉદ્દઘાટન કરવામાં આવશે.
 આ મહોત્સમાં શાસ્ત્રીય નૃત્યના ભારતવર્ષના પ્રતિભાવંત કલાકારશ્રીઓ દ્વારા વિવિધ નૃત્યોની શૈલી રજુ કરવામાં આવશે. જેમાં મણીપુર ગૃપ દ્વારા મણીપુરી નૃત્ય- મણીપુરી જાગોઈ મારૂપ, ઇમ્ફાલની પ્રસ્તૃતિ, મુદ્રા સ્કુલ ઓફ ઇન્ડિયન ક્લાસીકલ ડાન્સ અમદાવાદ ગૃપ દ્વારા કથકલી નૃત્ય, કલા કલ્પ સાંસ્કૃતિક સંસ્થાન, ન્યુ દિલ્હી ગૃપ દ્વારા ઓડિસી નૃત્ય જ્યારે શ્રીદેવી નૃત્યાલય, ચેન્નઈ દ્વારા ભરતનાટ્યમની પ્રસ્તૃતિ કરવામાં આવશે.
 આ પ્રસંગે ગાંધીનગર ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિક મુખ્ય સચિવ સી. વી. સોમ ઉપસ્થિત રહેશે.

(7:55 pm IST)