Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

અમદાવાદના વાસણા વિસ્તારમાં મકાન ખાલી કરાવવા બાબતે પરિવારને ગોંધી રાખનાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરના વાસણામાં મકાન ખાલી કરાવવા બાબતે પરિવારને ગોંધી રાખવાનો બનાવ બન્યો છે. સુરતમાં રહેતી વ્યક્તિએ વાસણામાં મકાન માલિક પાસેથી મકાન ખરીદ્યું હતું. જોકે માલિકે મકાન ખાલી કર્યું ન હોનાથી ખરીદારે મકાન ખાલી કરવા કહ્યું હતું.

આથી તેણે ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપી હતી. બીજીતરફ પાંચ શખ્સોએ મકાન ખાલી કરાવવા મકાન માલિક અને તેના પરિવારને ઘરમાં પુરી રાખી જાનથી મારવાની ધમકી આપી હતી. જેને કારણે વાસણા પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની વિગત મુજબ સુરતમાં રહેતા શૈલેષભાઈ જી.શાહે (56) વાસણામાં ચંદ્રનગર ખાતે ક્રિતીમંદિર સોસાયટીમાં રાજેશભાઈ બચુભાઈ વડેચાનું મકાન ખરીદ્યું હતું. તે સમયે રાજેશભાઈએ હાલ પૈસાની તકલીફ હોવાથી થોડો સમય મકાનમાં રહેવા દેવા જણાવતા શૈલેષભાઈએ હા કહી હતી.

જોકે બાદમાં શૈલેષભાઈ અવારનવાર મકાન ખાલી કરવા કહેતા હોવાછતા રાજેશભાઈ મકાન ખાલી કરતા ન હતા અને મારવાની ધમકી આપતા હતા. બીજીતરફ શૈલેષભાઈે મકાન વેચવું હોવાથી તેમણે કેમના મિત્ર રણજીતભાઈ ભરવાડને વાત કરતા તેમણે મકાન જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

(5:18 pm IST)