Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

બજરંગ મંડળ વિરમગામ જી.આઇ.ડી.સી. દ્વારા 161મી હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂન કરાઇ

અયોધ્યામાં રામમંદિર નવનિર્માણ થવા જઈ રહેલ છે એ નિમિત્તે હોમાત્મક હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :બજરંગ મંડળ જી.આઇ.ડી.સી. વિરમગામ દ્વારા અયોધ્યામાં રામમંદિર નવનિર્માણ થવા જઈ રહેલ છે એ નિમિત્તે 161 મી હનુમાનચાલીસાના પાઠ અને રામધૂન સાથે હોમાત્મક હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. જી.આઈ.ડી.સી હાંસલપુર વિરમગામ ખાતે છેલ્લા  સાડા ત્રણ વર્ષથી સતત દરષશનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. રામભક્તોના આગ્રહ અને આમંત્રણને માન આપીને સ્થાન બદલાય છે પણ સમય અને વાર નિશ્ચિત છે. અયોધ્યા માં ભગવાન શ્રીરામ નું ભવ્ય મંદિર નિર્માણ થઇ રહ્યું છે ત્યારે શનિવારે હોમાત્મક હનુમાન ચાલીસા શ્રીજી કોટન ઇન્ડસ્ટ્રીઝ ખાતે રાખવામાં આવેલ. જેમાં સૌ રામભક્તો એ એકત્રિત થઇ  રામધુન અને હનુમાન ચાલીસા કર્યા હતા. સાથે સાથે યજ્ઞ ની આહુતિઓ પણ આપવામાં આવી હતી.

(7:33 pm IST)