Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

રાજપીપળાની શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશનને ચાર વર્ષ પૂર્ણ થતા જરૂરીયાતમંદ લોકોને જરૂરી વસ્તુઓનું વિતરણ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા સહિત નાંદોદ તાલુકામાં સેવાકાર્ય કરતી શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન નામની સંસ્થાને ચાર વર્ષ પૂર્ણ થઈ પાંચમા વર્ષમાં પ્રવેશ કરતા જરૂરીયાતમંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરી વધુ એક સેવાકાર્ય પાર પાડવામાં આવ્યું હતું. સંસ્થાના સંચાલકો દ્વારા વારંવાર જરૂરીયાતમંદ લોકોને જરૂરી વસ્તુઓ આપી માનવતાના દર્શન કરાવ્યા છે જેમાં વિકલાંગ, એચઆઇવી ગ્રસ્તો,કેન્સર પીડિતો,વિધવા મહિલાઓ,પરિક્રમવાસીઓ સાહિતનાઓનો સમાવેશ થાય છે ત્યારે સંસ્થાના ચાર વર્ષ પૂર્ણ થતાં અનાજ કીટ ની સાથે સાથે કેટલાક ઘર વિહોણા વ્યક્તિ ઓને સ્ટીલની થાળી વાટકી ગ્લાસ ચમચી તેમજ સ્વેટર, ધાબળા નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

(11:06 pm IST)