Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

હિંમતનગરના મહેતાપુરા નજીક હાથમતી નદીના બ્રિજ પર બાઈક ચાલકે કાબુ ગુમાવતા વીજપોલ સાથે અથડાતા બે શખ્સોના મૃત્યુના

હિંમતનગર: શહેરના મહેતાપુરા નજીક આવેલા હાથમતી નદીના બ્રિજ પર થઈને સોમવારે રાત્રે ઓવર સ્પીડમાં જતા બાઈકના ચાલકે સ્ટીટરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક વીજપોલ સાથે ટકરાતા બાઈક પર જઈ રહેલ બે જણાના મોત નિપજ્યા હતા. જે અંગે બીડીવીઝન પોલીસે ગુનો નોધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.

 સોમવારે મોડી સાંજે હાથમતી બ્રિજ પર થઈને એક બાઈક પર બે જણા ઓવર સ્પીડમાં દોડી રહ્યા હતા દરમિયાન અચાનક ડ્રાઈવીંગ પરનો ચાલકે કાબુ ગુમાવી દેતા બાઈક સીધુ વીજપોલી સાથે ધડાકાભેર અથડાયુ હતું જેથી અકસ્માત થતા લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ તપાસ કરતા બાઈક પર જઈ રહેલા હિંમતનગરના માણીના છાપરીયામાં રહેતા અહમદરજાક ભટ્ટી (..૨૧) અને વસીમઅહેમદશા દિવાન (..૨૫) એમ બંને જણા મહેતાપુરાથી ન્યાયમંદિર તરફ બાઈક પર પુર ઝડપે આવી રહ્યા હતા ત્યારે અચાનક વીજપોલ સાથે અથડાતા થયેલા અકસ્માતમાં બંને જણાને ગંભીર ઈજા થઈ હતી. જે પૈકી એકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.

(5:05 pm IST)