Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૪૨ માળ ઊંચી વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા બંધ ઓવરફલો અને પાર્વતમાળાઓનો અદ્ભૂત નજારો

વરસાદી માહોલમાં વાદળોમાં ઘેરાયેલ નર્મદા ડેમ વીંધ્યાચલ અને સાતપુડા પાર્વતમાળાઓનો અદભુત આકાશી નજારો જોવા મળ્યો

( ભરત શાહ  દ્વારા ) રાજપીપળા : કોરોના મહામારી ના કારણે પ્રવાસન સ્થળો પણ બંધ છે ત્યારે ચાલુ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે જેથી સરદાર પટેલ એકતા ટ્રસ્ટને ભારે નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ ખાસ કરી ને સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ની ૪૨ માળ ઊંચી વ્યુઇંગ ગેલેરીમાંથી સાતપુડા અને વીંધ્યાચલ પર્વત માળાઓ તેમજ સરદર સરોવર નર્મદા બંધનો આહલાદક નજારો માંડતા હોય છે ત્યારે પ્રવાસીઓ ચાલુ વર્ષે આ નજારો માણિ શક્યા નથી
  હાલ નર્મદા બંધ માં ઉપરવાસ માંથી પાણીની ભારે આવક થઈ રહી છે જેના કારણે સરદાર સરોવર નર્મદા બંધમાંથી પાણી છોડાઈ રહ્યું છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૪૨ માળ ઉપર વ્યુઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર નર્મદા બંધ ઓવરફ્લો નો અદભુત નજારો જોવા મળ્યો હતો ઉપરાંત વરસાદી મોસમમાં વાદળોમાં ઘેરાયેલી વિંધ્યાચલ અને સાતપુડા ની પર્વત માળા નો અદભુત નજારો પણ જોવા મળ્યો છે

(6:45 pm IST)