Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

અમદાવાદમાં જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં 40 જેટલા વડીલો કોરોના ગ્રસ્ત : કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકાયું

સંસ્થા અને સંચાલકો સહીત ત્યાં રહેતા વૃદ્ધોમાં પણ ભય

અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના વાઇરસે હવે વૃધ્ધાશ્રમમાં એન્ટ્રી મારી છે. અને એક સાથે 40 જેટલા વૃધ્ધો કોરોના સંક્રમિત બન્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના નારાણ પુરા વિસ્તારમાં આવેલા જીવનસંધ્યા વૃધ્ધાશ્રમમાં એક સાથે 40 જેટલા વૃધ્ધો કોરોના ગ્રસ્ત બન્યા છે. જેને લઈને સંસ્થા અને સંચાલકો સહીત ત્યાં રહેતા વૃદ્ધોમાં પણ ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો સાથે સાથે અમદાવાદ મનપા દ્વારા પણ નારણપુરાના જીવન સંધ્યા વૃદ્ધાશ્રમને કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકાયું છે

(8:43 pm IST)