Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

દૂધમાં ભેળસેળ બિલકુલ નહિ ચલાવાયઃ રાદડિયા

રાજકોટઃ રાજ્યના કેબીનેટ મંત્રી અને રાજકોટ ડેરીના સભ્ય જયેશ રાદડિયાએ દૂધમાં ભેળસેળ સામે કડક ચેતવણી ઉચ્ચારી છે.

ડેરીની સાધારણ સભામાં જયેશ રાદડિયાએ દૂધ મંડળીઓ અને કર્મચારીઓ જોગ સાફ જણાવેલ કે રાજકોટ જિલ્લામાં સહકારી માળખા પર લોકોનો ભરોસો છે. આ ભરોસો ટકાવવાનો છે. આર્થિક સ્વાર્થ માટે કોઈ દૂધમાં ભેળસેળ ન કરે. જવાબદાર મંડળીઓનું દૂધ બંધ કરવા સહિતના પગલા લેવાશે. ભેળસેળના કિસ્સામાં કોઈને બચાવવા રાજકીય કે અન્ય કોઈની ભલામણ ચલાવાશે નહિ, કોઈએ આવી ભલામણ કરવી પણ નહિં.

(3:45 pm IST)