Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રાજ્યમાં કોરોનાંના કહેર વચ્ચે રેકોર્ડબ્રેક 1510 દર્દીઓ સાજા થયા : નવા 1408 પોઝિટિવ કેસ : વધુ 14 લોકોના મોત : કુલ કેસનો આંક 1,28,949 થયો :કુલ 109211 લોકોએ કોરોનાને હરાવ્યો

સુરતમાં સૌથી વધુ 278 કેસ,અમદાવાદમાં 183 કેસ, વડોદરામાં 133 રાજકોટમાં 147 કેસ ,જામનગરમાં 98 કેસ, ગાંધીનગરમાં 50 કેસ,મહેસાણામાં 49 કેસ,બનાસકાંઠામાં 44 કેસ,કચ્છ અને પાટણમાં 33-33 કેસ,અમરેલી અને પંચમહાલમાં 28 -28 કેસ,ભરૂચમાં 23 કેસ અને મોરબીમાં 22 કેસ :રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકડામાં તફાવત યથાવત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે આજે રેકોર્ડબ્રેક 1510 દર્દીઓ સાજા થયા છે આજે નવા 1408 પોઝીટીવ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,28,949 થઇ છે  અત્યાર સુધીમાં કુલ 109211 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3384 થયો છે

અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવરહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 16354 છે જેમાં 16265 સ્ટેબલ છે જયારે 89 દર્દીઓ વેન્ટિલેટર પર છે રાજ્યમાં રિકવરી રેટ 84, 69% પર પહોંચ્યો છે. ત્યારે આજે 1510 દર્દીઓ સાજા થયા છે.

  રાજ્યમાં આજે નોંધાયેલા 1408 પોઝિટિવ કેસમાં સુરતમાં સૌથી વધુ 278 કેસ,અમદાવાદમાં 183 કેસ, વડોદરામાં 133 રાજકોટમાં 147 કેસ ,જામનગરમાં 98 કેસ, ગાંધીનગરમાં 50 કેસ,મહેસાણામાં 49 કેસ,બનાસકાંઠામાં 44 કેસ,કચ્છ અને પાટણમાં 33-33 કેસ,અમરેલી અને પંચમહાલમાં 28 -28 કેસ,ભરૂચમાં 23 કેસ અને મોરબીમાં 22 કેસ નોંધાયા છે

(7:46 pm IST)