Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

રાજ્યકક્ષાનાં મંત્રી વિભાવરીબેન દવે કોરોના સંક્રમિત યુ.એન. મહેતા હૉસ્પિટલમાં દાખલ: તબિયત સ્વસ્થ

વિભાવરીબેને ખુદ ટવીટ કરીને જાણકારી આપી : સંપર્કમાં આવનારા તમામને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ

અમદાવાદ : રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવે કોરોના સંક્રમિત થયા છે તેમને સારવાર માટે શહેરની યુ.એન. મહેતા હૉસ્પિટલમાં દાખલ કરાયા છે કોરોના સંક્રમિત થયા હોવા અંગેની જાહેરાક ખુદ મંત્રીએ ટ્વીટ કરીને કરી હતી.

મંત્રી વિભાવરીબેન દવેએ ટ્વીટ કરીને કહ્યું કે આજ રોજ મારો કોવિડ (કોરોના) ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાથી મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને સેલ્ફ આઇસોલેટ થવા અને ટેસ્ટ કરાવવા અને પોતે સ્વસ્થ છે તેની ખાત્રી કરાવી લેવા અનુરોધ કરું છું. આપ સૌની શુભેચ્છા અને આશીર્વાદથી હાલ મારી તબિયત સ્વસ્થ છે.

(10:13 am IST)