Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

સુરતના રાંદેરમાં માનસિક ત્રાસ અનુભવતા યુવાને ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી

સુરત:મુળ મધ્યપ્રદેશના ફતેપુરા બિનકીના વતની અને હાલમાં રાંદેરના પાલનપૂર જગાતનાકા પાસે ઝઘડિયા ચોકડી નજીક પ્રશાંત નગર સોસાયટીમાં રહેતા 41 વર્ષીય જગદીશસિંગ જશવંતસિંગ રાજપુત ગત તારીખ 23મી રાતથી તારીખ 24મીએ દરમિયાન ઘરમાં પંખાના હૂક સાથે સાડી બાંધી ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા.

આજુબાજુના લોકો ચોંકી ગયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, જગદીશસિંગ છેલ્લા કેટલાક સમયથી કોઈ કારણસર માનસિક તાણ અનુભવ હોવાથી પગલું ભર્યું હોવાની શક્યતા છે. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તે ટાઇલ્સ ઘસવાના કામ સાથે સંકળાયેલા હતા. અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:38 pm IST)