Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે 963 દર્દીઓ સાજા થયા : નવા 919 પોઝિટિવ નોંધાયા : વધુ 7 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 1,67,171 થઇ :મૃત્યુઆંક 3682 થયો:કુલ 1,49,548 લોકોએ કોરોનાને હરાવ્યો

સૌથી વધુ સુરતમાં 227 કેસ, અમદાવાદમાં 174 કેસ, વડોદરામાં 115 કેસ,રાજકોટમાં 97 કેસ, જામનગરમાં 43 કેસ,,ગાંધીનગરમાં 35 કેસ, ભરૂચમાં 20 કેસ, મહેસાણા , ભાવનગર , જૂનાગઢ અને મોરબીમાં 18-18 કેસ,કચ્છમાં 16 કેસ,દાહોદ અને સાબરકાંઠામાં 14-14 કેસ,અને સોમનાથમાં 10 કેસ નોંધાયા :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો હતો ત્યારે ગઈકાલની બાદ કરતા છેલ્લા 14 દિવસથી નવા કેસ કરતા સાજા થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે આજે કોરોનાના નવા  919 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,67,171 થઇ છે  આજે વધુ  963 ર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,49,548 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ  7 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક  3689 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં 919 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 7 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3689 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 13,936 છે જેમાંથી વેન્ટીલેટર પર 65 દર્દીઓ છે,જ્યારે 13871 દર્દીની હાલ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેઈટ  89,46 ટકા થયો છે  રાજ્યમા આજે કોરોનાના 52,370 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં 57,42,742 ટ્સ્ટ કરાયા છે

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2,સુરત કોર્પોરેશનમાં 2,અમદાવાદમાં 1, પાટણમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળીને કુલ 7 લોકોના મોત થયા છે   .

  રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના 919 પોઝિટિવ કેસમાં  સૌથી વધુ સુરતમાં 227 કેસ, અમદાવાદમાં 174 કેસ, વડોદરામાં 115 કેસ,રાજકોટમાં 97 કેસ, જામનગરમાં 43 કેસ,,ગાંધીનગરમાં 35 કેસ, ભરૂચમાં 20 કેસ, મહેસાણા , ભાવનગર , જૂનાગઢ અને મોરબીમાં 18-18 કેસ,કચ્છમાં 16 કેસ,દાહોદ અને સાબરકાંઠામાં 14-14 કેસ,અને  સોમનાથમાં 10 કેસ નોંધાયા છે

(7:44 pm IST)