Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

રાજ્યમાં ક્યાંય પણ લોકડાઉન કે કરફ્યુ લગાડવાની કોઈ બાબત હાલ સરકારની કોઈ વિચારણા નથી

સમાચારો અને વાતો સોશીયલ મીડિયામાં વહેતા થતા અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કરી સ્પષ્ટતા

અમદાવાદ : રાજ્યમાં લોકડાઉન ફરીથી થવાનું છે તેવા જે સમાચારો અને વાતો સોશીયલ મીડિયામાં ચાલી રહ્યા છે તેનું સ્પષ્ટ ખંડન કરતા રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે આવી કોઈ જ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણામાં નથી.

તેમણે જણાવ્યું છે કે હાલ રાજ્યના જે ચાર શહેરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી જે કરફયૂ અમલમાં છે તે યથાવત રહેશે. આ સિવાય રાજ્યમાં ક્યાંય પણ લોકડાઉન કે કરફ્યુની બાબત પણ રાજ્ય સરકારની કોઈ વિચારણામાં નથી.

અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે સૌ નાગરિકોને સોશીયલ મીડિયામાં ચાલતા આ સમાચારથી ગેરમાર્ગે નહિ દોરાવાની તેમજ આવા પાયા વિનાના સમાચારો અંગે કોઈ ગભરાટ પણ ના રાખવાની અપીલ કરી છે

(11:02 pm IST)