Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

વડોદરાના ગોરવા વિસ્તારમાંથી ભાગેલ પરિણીતાની લાશ મહીસાગર નદીમાંથી મળી આવતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: શહેરના ગોરવા વાલ્મિકી નગરમાં રહેતા પરિણીત  પ્રેમીપંખીડા ત્રણ દિવસ પૂર્વે ઘરેથી  ભાગી ગયા હતા. આજે બંનેએ ફાઝલપુર નજીક મહીસાગર નદીમાં હાથ ઓઢણીથી બાંધીને ઝપલાવી દીધુ હતુ. બંનેના મૃતદેહ નંદેસરી પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢી  બાજવા પીએસસી ખાતે પીએમ માટે મોકલી આપ્યા હતા.

ફાજલપુર ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં આજે કેટલાક માછીમારો  કામ કરતા હતા. તે દરમિયાન પાણીના પ્રવાહમાં બે મૃતદેહ તરતા જોઈને નંદસેરી પોલીસને જાણ કરી હતી. નંદેસરી પોલીસ મથકના પીએસઆઈ ડીએલ વસાવા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને સ્થાનિક તરવૈયાની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મૃતક પુરૃષના ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડના આધારે  પોલીસે તપાસ કરતા તેનું નામઘનશ્યામ ઘેલાભાઈ વાલ્મિકી અને મહિલાનું નામ નયનાબેન કિરણભાઈ સોલંકી (બંને રહે. વાલ્મીકીનગર ગોરવા) હોવાનું જાણવા મળ્યું હતુ.

(5:21 pm IST)