Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

અમદાવાદમાં બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પૂજા ઠક્કરનો આપઘાતઃ માનસિક બિમારીથી કંટાળીને પગલુ ભર્યાનું તારણ

અમદાવાદ શહેરમાં આવેલ બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કોલેજના હોસ્ટેલમાં આપઘાત કરતા ભારે ચકચાર જોવા મળી હતી. આ બનાવની જાણ પોલીસને કરતા શાહિબાગ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. જો કે, હાલ પ્રાથમિક તપાસમાં આ વિદ્યાર્થિની માનસિક બીમાર હોવાથી તેની દવા ચાલુ છે તેવું જાણવા મળ્યું છે. પોલીસે આ અંગે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના શાહિબાગ ખાતે આવેલ નવતમ એપાર્ટમેન્ટમાં રહેતી પૂજા ઠક્કર અને બી.જે.મેડિકસ કોલેજમાં અભ્યાસ કરી રહેલ હતી. વિદ્યાર્થિનીએ ગત ગુરુવારના રોજ કોલેજ જવાનું કહી નિકળી હતી. જો કે, ઘરે પરત ન આવતા તેણીની માતાએ તેને ઘણા ફોન કર્યા હતા પરતું તે ફોન ન ઉપાડતા પરિવારજનોમાં ભારે ચિંતા જોવા મળી હતી. જેથી પરિવારજનોએ તેની મિત્રને આ વાતની જાણ કરી હતી. વિદ્યાર્થિની મિત્ર તેની શોધખોળ કરવા માટે કોલેજમાં પહોંચી હતી. જયા વિદ્યાર્થિનીએ દરવાજો ન ખોલતા તેની માતાએ બારીમાંથી ચેક કર્યું તો તે પલગમાં બેભાન હાલતમાં પડી હતી અને તેના મોઢમાંથી સફેદ કલરનું પ્રવાહી નિકળતું જોવા મળી રહ્યું હતું. આ જોતા જ તેની માતા ડરી ગઈ અને ઘટનાની તાત્કાલિક શાહીબાગ પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વિદ્યાર્થિનીએ આપઘાત કેમ કર્યો અને કયા કારણોથી કર્યો છે હાલ પોલીસ દ્વારા તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગત એક મહિના પહેલા મૂળ બિહારની યુવતીએ IIMમાં આપઘાત કર્યો હતો. તે PGPMમાં અભ્યાસ કરી રહી હતી. જો કે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતુ કે, યુવતી છેલ્લા કેટલાક સમયથી એકલતાને કારણે ડિપ્રેશનમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું.

(5:24 pm IST)