Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

નર્મદા જિલ્લા 108ના સ્ટાફે દશેરાની ઉજવણી સાથે દર્દીઓની સેવામાં તૈયાર રહેવાનો સંકલ્પ લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અસત્ય પર સત્યના વિજયના પાવન પર્વ દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે નર્મદા જિલ્લા 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા દશેરાની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સ્ટાફના દરેક ભાઈ બહેનોએ આવનારી દરેક ઈમરજન્સીને પહોંચી વળવા માટે હમેંશા ખડેપગે તૈયાર છીએ અને હંમેશા રહીશું એવો સંકલ્પ લઈ એમ્બ્યુલન્સની પુંજા કરી ફુલહાર ચઢાવી શ્રીફળ વધેર્યું હતું.નર્મદા આમ પણ નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડા ઓના દર્દીઓ જેમાં ખાસ કરીને સગર્ભા મહિલાઓ માટે 108 એમ્બ્યુલન્સની સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ જ છે ત્યારે આવનારા વર્ષમાં પણ આ રીતે ખડે પગે દર્દીઓની સેવા માટે તૈયાર રહેશે તેવા સંકલ્પ સાથે દશેરાની ઉજવણી કરી હતી.

(10:29 pm IST)