Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

નર્મદા જિલ્લામાં રવિવારે નવા ૪ કોરોના કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક ૧૨૧૮ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો વધુ જોવા મળી રહ્યા છે.જેમાં રવિવારે નવા ૦૪ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
 આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રવિવારે ૪ દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં રાજપીપળા ના મોતીબાગમાં-૧,નાંદોદ જીતનગર પોલીસ લાઈન-૧, જ્યારે ગરુડેશ્વર L&T ઓફીસ-૧, બોરીયા વાલ્મિકી આશ્રમમાં-૧ મળી નર્મદા જિલ્લા માં કુલ-૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે,જ્યારે ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૩૮ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૪૩ દર્દી દાખલ છે.આજરોજ ૦૬ દર્દી સજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૧૨૪ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૧૨૧૮ એ પહોચ્યો છે.આજે વધુ ૫૯૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:32 pm IST)