Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

રાજ્‍ય સરકારની મનાઇ હોવા છતાં ગાંધીનગરના રૂપાલમાં પલ્લીની પરંપરા અતૂટી રહીઃ ઘીની નદીઓ જોવા ન મળી પરંતુ માતાજીની આસ્‍થા અકબંધ

ગાંધીનગરઃ ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પલ્લીની પરંપરા અતૂટ રહી છે. રાજ્ય સરકારની મનાઈ છતાં પણ પલ્લીની પરંપરા અતૂટ રહી છે. રૂપાલમાં મોડી રાત્રે પલ્લી નીકળી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલ્લી નહીં નીકળે તેમ જણાવ્યું હતું. શ્રદ્ધા, આસ્થા અને સતનો વિષય હોય ત્યારે સરકાર પણ કંઈ કરી શકતી નથી.

આ વખતની પલ્લીમાં ઘીની નદીઓ જોવા ન મળી

આ સમયે કોરોનાના રોગચાળાની વચ્ચે પણ રૂપાલ ગામમા મોડી રાત્રે પલ્લી નીકળી હતી. ફરક ફક્ત એટલો જ હતો કે ગામમાં ઘીની નદી જોવા મળતી ન હતી, પરંતુ માતાજીની આસ્થા અકબંધ જોવા મળી હતી. રાજ્યના મહેસૂલ અગ્રસચિવ પંકજકુમાર અને તેમની પત્નીએ જ પહેલા પલ્લીના દર્શન કર્યા હતા.

ગયા વર્ષે પલ્લી ત્રણ વાગે નીકળી હતી. જ્યારે આ વર્ષે પલ્લી 12 વાગે મંદિરે પહોંચી ગઈહતી. સામાન્ય રીતે પલ્લી બનાવવાની કામગીરી માતાજીની રજા મળ્યા બાદ શરૂ કરવામાં આવે છે. આ વર્ષે કોરોના અને સરકારની મંજૂરી ન હોવાના લીધે પલ્લીને સાંકડી જગ્યામાં મંદિર આગળ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી.

પલ્લી બનાવવાની કામગીરી વહેલા શરૂ થઈ

આ વખતે પલ્લી બનાવવાની કામગીરી વહેલી શરૂ થઈ હતી અને 12 વાગ્યાપહેલા જ વરદાયિની માતાના મંદિરના સંકુલમાં પલ્લી પહોંચી ગઈ હતી. ચાલુ વર્ષે રૂપાલ ગામના રસ્તા કોરા રહ્યા હતા. સામાન્ય રીતે ગામમાં આવેલા 27 ચકલા પર માતાજીની પલ્લીને થોડા સમય માટે રોકવામાં આવે છે. આ સ્થળે માતાજીની પલ્લી પર લાખો કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે.

ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની આસો સુદ નોમના દિવસે પલ્લીયોજાતી હોય છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલ્લી નહીં નીકળે તેમ જણાવ્યું હતું. પરંતુ શ્રદ્ધા, આસ્થા અને સતનો વિષય હોય ત્યારે સરકાર પણ કઈ કરી શકતી નથી. તેવા સમયે વરદાયિની માતાજીની પલ્લી રૂપાલ ગામમાં કોરોના રોગચાળા વચ્ચે પણ અતૂટ રહી હતી.

માત્ર ગામમાં ઘીની નદી જોવા મળી ન હતી. પરંતુ માતાજીની આસ્થા અકબંધ જોવા મળી હતી. જ્યારે રાજ્યના મહેસુલ અગ્ર સચિવ પંકજકુમાર અને તેમના પત્નીએ પલ્લી નીકળે તે પહેલા પલ્લીના દર્શન કર્યા હતા. રૂપાલમાં માત્ર ઘીની નદીઓ ના વહી, પલ્લીની પરંપરા અતૂટ રહી હતી.

આ વખતે કોરોનાના રોગચાળાના લીધે પલ્લીને સીધી જ મંદિરના સંકુલમાં લઈ જવામાં આવી હતી. તેના લીધે રૂપાલ ગામના રસ્તા પર ઘીની નદીઓ જોવા મળી ન હતી અને રસ્તાઓ કોરા રહ્યા હતા. ગામમાં પ્રવેશતા તમામ દ્વાર ઉપર લોખંડી પોલીસ પહેરો ગોઠવાયો હતો. પલ્લીના દર્શનાર્થે લોકો આવે નહીં તે માટે ગામમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર પોલીસનો ચુસ્ત પહેરો ગોઠવવામાં આવ્યો હતો. બેરિકેડ લગાવીને લોકોની પૂછપરછ કરવામાં આવતી હતી. તેના લીધે બહારથી આવતા લોકો પર પોલીસ કંટ્રોલ મેળવી શકી હતી.

આમ રૂપાલની પલ્લી નીકળતા વરદાયિની માતાજીની આસ્થા અકબંધ રહી હતી. રૂપાલ ગામમાં પાંડવો દ્વારા પલ્લી શરૂ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. પલ્લી કાઢવાનું ચૂકી જવાય તો ગામના લોકો હેરાનપરેશન થઈ જાય તેવી લોકવાયકા પણ છે. આથી કોરોનાના રોગચાળા વચ્ચે પણ માતાજીની પલ્લીની પરંપરા જળવાઈ રહી હતી અને તેથી ગ્રામજનોમાં પણ માતાજીની આસ્થા અકબંધ રહી હોય તેમનુ સત અકબંધ હોવાનું સ્થાનિકોના મોઢે સાંભળવા મળ્યું હતું.

(4:35 pm IST)