Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

વડોદરા નજીક યાત્રાધામ ચાણોદમાં ભારે આતંક મચાવનાર દીપડાને વનવિભાગની ટીમે ભારે જહેમત બાદ પાંજરે પૂર્યો

વડોદરા:નજીક યાત્રાધામ ચાણોદમાં વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભારે આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે.

બે દિવસ પહેલા ચાણોદ યાત્રાધામ ખાતે આવેલા પરમવીર ધામની ગૌશાળામાં મોડી રાત્રે દીપડો ત્રાટક્યો હતો અને ચાર વાછરડી ઉપર હુમલો કર્યો હતો. જે પૈકી બે વાછરડીનું સ્થળ પર મોત નિપજયુ હતું. જ્યારે બે વાછરડી ગંભીર રીતે ઘાયલ થઈ છે.

બનાવ અંગે ફોરેસ્ટ વિભાગે ગૌશાળા નજીક પાંજરું ગોઠવતા ગઈરાતે મારણ કરવા આવેલો દીપડો પાંજરે પુરાયો હતો. તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

(6:46 pm IST)