Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો : વધુ 1102 દર્દીઓ સાજા થયા : નવા 908 પોઝિટિવ નોંધાયા : વધુ 4 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 1,68,081 થઇ :મૃત્યુઆંક 3693 થયો : કુલ 1,50,650 લોકોએ કોરોનાને હરાવ્યો

સૌથી વધુ સુરતમાં 228 કેસ, અમદાવાદમાં 173 કેસ, વડોદરામાં 111 કેસ, રાજકોટમાં 68 કેસ, જામનગરમાં 28 કેસ, મહેસાણામાં 27 કેસ, ગાંધીનગરમાં 26 કેસ, ભરૂચમાં 20 કેસ, અમરેલીમાં 17 કેસ, કચ્છમાં 14 કેસ નોંધાયા : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો હતો ત્યારે છેલ્લા પખવાડિયાથી નવા કેસ કરતા સાજા થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે આજે કોરોનાના નવા  908 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,68,081 થઇ છે  આજે વધુ 1102 ર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,50,650 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 4 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક  3693 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં 908 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 4 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3693 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 13,738 છે જેમાંથી વેન્ટીલેટર પર 61  દર્દીઓ છે,જ્યારે 13 677 દર્દીની હાલ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેઈટ  89,63 ટકા થયો છે  રાજ્યમા આજે કોરોનાના 51,046 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં 57,93,788 ટ્સ્ટ કરાયા છે

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 1,સુરત કોર્પોરેશનમાં  1,મળીને કુલ 4 લોકોના મોત થયા છે   .

  રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના 908 પોઝિટિવ કેસમાં  સૌથી વધુ સુરતમાં 228 કેસ, અમદાવાદમાં 173 કેસ, વડોદરામાં 111 કેસ,રાજકોટમાં 68 કેસ, જામનગરમાં 28 કેસ, મહેસાણામાં 27 કેસ, ગાંધીનગરમાં 26 કેસ, ભરૂચમાં 20 કેસ,અમરેલીમાં 17 કેસ,કચ્છમાં 14 કેસ,નોંધાયા છે

(7:03 pm IST)