Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

ભરૂચમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની :નેશનલ હાઈવે બાદ દહેજ રોડ પરના બિસ્માર રસ્તાને કારણે ચક્કાજામ

નંદેલાવ ઓવરબ્રિજનો માર્ગ અત્યંત બિસ્માર :સળીયા પણ બહાર આવી ગયા

ભરૂચમાં નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકની સમસ્યા હજુ તો હળવી થઈ નથી ત્યાં વધુ એક ટ્રાફિક સમસ્યાએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. નંદેલાવ ઓવરબ્રિજ પરનો માર્ગ બિસ્માર બનતા દહેજ બંદર અને 3 જીઆઈડીસી તરફ વહન કરતા વાહનો માટે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ટ્રાફિક સીટી ભરૂચમાં છેલ્લા 4 દિવસથી નેશનલ હાઈવે પર ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ટ્રાફિક મેનેજમેન્ટ સાથે સમારકામ કરાવી સમસ્યા હળવી બનાવી છે. તંત્ર રાહતનો દમ ભારે તે પૂર્વે ટ્રાફિકની વધુ એક સમસ્યા ઉભી થઈ છે

નંદેલાવ ઓવરબ્રિજનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે અને માર્ગ પરથી સળીયા પણ બહાર આવી ગયા છે જેના પગલે વાહનોની ગતી અવરોધાઈ રહી છે. પીકઅવર્સમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ભારદારી વાહનો પણ માર્ગ પરથી પસાર થાય છે અને વહન ચાલકોએ કલાકોના કલાકો બગાડવાનો વારો આવે છે. માર્ગ દહેજ પોર્ટ અને 3 જીઆઈડીસીને NH48 સાથે જોડે છે. ત્યારે બિસ્માર બનેલા માર્ગનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે જરૂરી છે.

(12:08 am IST)