Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

રાજ્યમાં કોરોનાનો કહેર :નવા 1411 પોઝિટિવ કેસ:વધુ 10 લોકોના મોત : કુલ કેસનો આંક 1,33,219 થયો :વધુ 1231 દર્દીઓ ડિસ્ચાર્જ થતા કુલ 1,13,140 લોકોએ કોરોનાને હરાવ્યો

સુરતમાં સૌથી વધુ 269 કેસ, અમદાવાદમાં 197 કેસ, વડોદરામાં 133 રાજકોટમાં 171 કેસ , જામનગરમાં 99 કેસ, મહેસાણામાં 52 કેસ, ભાવનગરમાં 47 કેસ,ગાંધીનગરમાં 45 કેસ,બનાસકાંઠામાં 36 કેસ,કચ્છ અને સુરેન્દ્રનગર 34-34 કેસ, અમરેલીમાં 30 કેસ અને જૂનાગઢમાં 29 કેસ નોંધાયા : રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકડામાં તફાવત યથાવત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે આજે  નવા 1411 પોઝીટીવ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,33,219 થઇ છે  આજે વધુ  11231 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,13,140 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 10 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3419 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 16660 છે જેમાં 16574 સ્ટેબલ છે જયારે  86 દર્દીઓ વેન્ટિલેટર પર છે રાજ્યમાં રિકવરી રેટ 84,93% પર પહોંચ્યો છે. ત્યારે આજે 1231 દર્દીઓ સાજા થયા છે.

  રાજ્યમાં આજે નોંધાયેલા 1411 પોઝિટિવ કેસમાં સુરતમાં સૌથી વધુ 269 કેસ, અમદાવાદમાં 197 કેસ, વડોદરામાં 133 રાજકોટમાં 171 કેસ ,જામનગરમાં 99 કેસ, મહેસાણામાં 52 કેસ, ભાવનગરમાં 47 કેસ,ગાંધીનગરમાં 45 કેસ,બનાસકાંઠામાં 36 કેસ,કચ્છ અને સુરેન્દ્રનગર 34-34 કેસ, અમરેલીમાં 30 કેસ અને જૂનાગઢમાં 29 કેસ  નોંધાયા  છે

(7:42 pm IST)