Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ નર્મદા દ્વારા લક્ષ્મી નારાયણ મંદિર ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નવરાત્રી પૂર્ણ થતાં જ દશેરાના પર્વ નિમિત્તે લોકો શસ્ત્ર,વાહનોનું પૂંજન કરતા હોય છે જેમાં ખાસ પોલીસ વિભાગ પણ શસ્ત્ર નું પૂંજન કરતું હોય છે તેમ અલગ અલગ સંસ્થાઓ ધાર્મિક મંડળો સહિત અનેક લોકો પોત પોતાના શસ્ત્રો ની પુંજા વિધી કરતા હોય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારોએ પણ રાજપીપળાના લક્ષ્મી નારાયણ મંદિરમાં શસ્ત્રનું પૂંજાન કર્યું હતું.જેમાં વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા જિલ્લાના અજિતસિંહ રાઠોડ, બજરંગ દળના જિલ્લા સંયોજક નિલેશ તડવી, સામાજિક સમરસતા અધ્યક્ષ પ્રેગ્નેશ રામી વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા જિલ્લાના પ્રચારક જીતુભાઈ ગોસ્વામી,વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી કીર્તન પુરોહિત તથા કોષાધ્યક્ષ દીપલ સોની એ હાજરી આપી હતી.

(10:28 pm IST)