Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સુરત: કોરોનોમાં ઓનલાઇન બિઝનેસ નહિ ચાલતા યુવાને ઓફિસમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

મૂળ અમરેલીના સાવરકુંડલાના છાપરી ગામના વતની અને હાલ મોટાવરાછાની રોયલ રેસિડેન્સીમાં રહેતા 26 વર્ષિય તરુણ પરસોતમભાઈ ગુંદરણીયએ ગળેફાંસો ખાદ્યો

કોરોના મહામારી વચ્ચે લોકોના વેપાર ઉદ્યોગ ઠપ્પ થઇ જતા લોકો પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકતા નથી. જેથી તણાવમાં આવીને આપઘાત કરવાના અનેક કિસ્સાઓ બને છે ત્યારે સુરતમાં ઓનલાઇન વેપાર કરનાર યુવાને પોતાની ઓફિસમાં આપઘાત કરવાની ઘટના સામે આવી છે.

. મૂળ અમરેલીના સાવરકુંડલાના છાપરી ગામના વતની અને હાલ મોટાવરાછાની રોયલ રેસિડેન્સીમાં રહેતા 26 વર્ષિય તરુણ પરસોતમભાઈ ગુંદરણીયા સુરતમાં મોટા વરાછાના લજામણી ચોક નજીક ભાડાની ઓફિસમાં ઓનલાઇનનો વેપાર કરે છે. આ વેપારમાં પોતાના એક મિત્ર સાથે ભાગીદારીમાં કરતા હતા. જોકે, લોકડાઉનન લઈને તેનો વેપાર પડી ભાંગ્યો હતો. જોકે લોકડાઉનમાં ગરીબ લોકોને મદદ કરવાની કામગીરીમાં આગળ રહેતા આ યુવાનનો વેપાર નહિ ચાલતા સતત માનસિક તણાવ અનુભવતો હતો. જોકે, પરિવારનું ગુજરાન ચાલવું મુશ્કેલ પડતું હોવાને કારણે ગતરોજ આવેશમાં આવી જઈને પોતા ઓફિસમાં ગળે આપઘાત કરી લીધો હતો.
જોકે ઘટનાની જાણકારી પાડોસી દુકાનવાળાને થતા આ યુવાન વેપારીના પરીવાર સાથે પોલીસને જાણકારી આપી હતી ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવી આ મામલે ગુનો નોંધ્યો છે. આ મામલે તપાસ શરૂ કરી છે. જોકે, બીજી બાજુ પરિવાર યુવાન વેપારીના આ પગલાને કારણે શોકમાં ગરકાઉ થઇ ગયુ છે.

(11:05 am IST)