Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

દિવાળીના તહેવારમાં ૪દિવસમાં અંબાજી મંદિરે ૫૧.૨૭ લાખનું દાન મળ્યુ

૧.૭૭ લાખ ભકતોએ દર્શન કર્યા : ૧૫ હજાર પ્રસાદ પેકેટનું વિતરણ

પાલનપુર : બનાસકાઠાં જીલ્લાના તીર્થ સ્થળ અને અરવલ્લી પર્વતમાળામાં સ્થીત સુપ્રસિધ્ધ અંબાજી મંદીરમાં દીવાળીના પર્વમાં ૪ દિવસોમાં ૫૧.૨૭ લાખ રૂપિયાના દાનની આવક થઇ હતી. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને દાન  સ્વરૂપે મળેલ આ રકમમાં ભંડારામાં મુકવામાં આવેલ રકમ સામેલ નથી આ રકમ ૫૦ લાખ આસપાસની હોઇ શકે છે. દિવાળીના તહેવારમાં અંબાજીએ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળેલ. આ ૪ દિવસો દરમિયાન ૧,૭૭,૮૮૧ શ્રધ્ધાળુઓએ જગત જનનીના દર્શન કરેલ અને ૭૫,૭૬૩ પ્રસાદ પેકેટનું વિતરણ કરાયેલ. ભોજનાલયમાં ૧૮ હજારથી વધુ ભાવીકોએ ભોજન પ્રસાદનો લાભ લીધેલ.

(11:41 am IST)