Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

વિજાપુરના કુકરવાડા ગામમાં બપોર બે વાગ્યા પછી બજાર 15 દિવસ સુધી બંધ રાખવા નિર્ણય

૧૫ દિવસ માટે સવારે સાતથી બપોરના બે વાગ્યા સુધી બજાર ખુલ્લુ રહેશે : કોઈપણ માસ્ક વિના નજરે પડશે તો ૨૦૦ રૂપિયા દંડ

વસાઇ : વિજાપુર તાલુકાના કુકરવાડા ગામમાં ૨૬મી નવેમ્બરથી આગામી ૧૫ દિવસ માટે સવારે સાતથી બપોરના બે વાગ્યા સુધી બજાર ખુલ્લુ રાખવા માટે સરપંચે જાહેર નોટિસ દ્વારા ગામલોકોને અમલ કરવા જણાવાયું છે. આ નોટિસ બાદ ગુરુવારે સોની બજાર, ગંજ બજાર, પાનના ગલ્લા નાસ્તાની દુકાનો બપોરે બે વાગ્યા બાદ બંધ જોવા મળી હતી. આ ૧૫ દિવસ દરમિયાન ગામમાં કોઈ પણ વ્યક્તિ માસ્ક વિના નજરે પડશે તો ૨૦૦ રૂપિયા દંડ વસૂલ કરાશે.

(11:41 am IST)