Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત : નવા 119 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 96 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

કુલ કેસની સંખ્યા 11,682 થઇ : મૃત્યુઆંક 194 થયો : વી આઈ પી રોડ, અકોટા, હરણી, તરસાલી, સમા,આજવા રોડ, માણેજા, સોમા તળાવ,કારેલીબાગ, વાઘોડિયા રોડ, તાંદલજા સહિતના વિસ્તારોમાં કોરોના કેસ

વડોદરા : વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે આજે નવા 119 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં  વધુ 96 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે આજે નવા 119 પોઝિટિવ કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 11,682 થઇ છે જયારે મૃત્યુઆંક 194 થયો છે અત્યાર સુધીમાં કુલ;9882 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે                     

આજે નોંધાયેલ 119 કેસમાં  વી આઈ પી રોડ, અકોટા,હરણી,તરસાલી, સમા,આજવા રોડ, માણેજા, સોમા તળાવ,કારેલીબાગ, વાઘોડિયા રોડ,તાંદલજા, સુભાનપુરા, માંજલપુર,છાણી, બાપોદ,શિયાબાગ,નવાયાડ,પાણીગેટ, ગોત્રી, મકરપુરા, ફતેપુરા,ગોરવા,વડસર.સહિતના વિસ્તારો અને ગ્રામ્યમાં  કલાલી, સેવાસી,બીલ, ડભોઇ, પાદરા,સીસવા, કરજન,શિનોર, સાવલી,ઉંડેરા,પોર,ભાયલીમાં કોરોના કેસ નોંધાયા છે .

(6:20 pm IST)