Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

રાજપીપળા હરસિધ્ધિ માતાના મંદિર પાસે ચક્કર આવતા પડી ગયેલા વૃદ્ધને મિત ગ્રૂપે સારવાર અપાવી ઘરે પહોંચતા કર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં સેવાકાર્ય સાથે સંકળાયેલા મિત ગ્રુપ ના યુવાનો એક બાદ એક સેવકાર્યો કરી રહ્યા હોય આજે એક અશક્ત બીમાર વૃદ્ધ ને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવી હતી.
  રાજપીપળા હરસિધ્ધિ માતા ના મંદિર પાસે એક વૃદ્ધ દાદા  ભૂખ્યા પેટે આમ તેમ ભટકતા હતા તેમને આજે બપોરે અચાનક ચક્કર આવતા એ રોડ પર પડી ગયા હોય તેવામાં મિતગ્રુપ ના સદસ્ય મેહુલભાઈ પરમાર ને આ બાબતની જાણ થતાં તેમણે તાત્કાલીક  દાદા ને પાણી પીવડાવી ભોજન કરાવી મિતગ્રુપના અન્ય સદસ્ય અજયભાઈ ને જાણ કરતા તેઓ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા બાદ દાદાને રીક્ષા મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા આવ્યા.ત્યાં તાત્કાલિક મિતગ્રુપ સદસ્યો દોડી આવી દાદા ને તત્કાલિ સારવાર અપાવી તેમના પરિજનો નો સંપર્ક કરવા  પ્રયત્નો કરતા આખરે એક ઓળખીતા વ્યક્તિ દ્વારા તેમની ઓળખ થતા તે ગાગર  ગામના હોવાનું જાણવા મળતા તેમને ઘરે પહોંચતા કર્યા હતા.

(7:05 pm IST)