Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

શામળાજી મંદિરમાં કોરોનાના નીતિ નિયમોના પાલન સાથે શરદ પુનમના દર્શન ચાલુ રહેશે

મોડાસા:કોરોના મહામારી માં સરકાર ની ગાઇડલાઈન મુજબ ના નીતિ નિયમોનું પાલન સાથે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે શારદપૂર્ણિમા યોજાશે.પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં શરદ પૂનમના રોજ દર્શન ચાલુ રહેશે.

 શામળાજી મંદિર ટ્રસ્ટની યાદી મુજબ સવારે 6.00 કલાકે મંગળા આરતીના દર્શન સાથે મંદિરના દ્વાર ખુલી 8.30 કલાકે બંધ થશે. બપોરના દર્શન 11.30 કલાકથી 12.15 કલાક સુધી અને 12:30. કલાકથી 2.15 કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે. જ્યારે સાંજે સંધ્યા આરતી 6.30 કલાકથી લઈ શયન આરતી બાદ રાત્રે 8.30 દર્શન બંધ રહેશે.

(1:31 pm IST)