Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

સુરતમાં જકાતનાકા નજીક 53 વર્ષીય આધેડે બીમારીથી કંટાળી ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત:પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ પાલનપુર જકાતનાકા પાસે શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા 53 વર્ષીય હરેશભાઈ અમૃતલાલ પરમાર રવિવારે સાંજે ઘરમાં રસોડામાં છતના પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. 

પોલીસે કહ્યું હતું કે હરેશભાઈ છેલ્લા કેટલાક સમયથી પ્રેસરની બીમારીથી પીડાતા હોવાથી યોગ્ય કામ ધંધો કરી શકતા ન હતા. જોકે તે બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હતું. તેમને બે સંતાન છે આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:19 pm IST)