એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ફરી શંકર ચૌધરી જુથની બહુમતી
૧૦ બેઠકો બિનહરીફ, બાકીની ૪ બિનહરીફ કરાવવા પ્રયાસ
રાજકોટ તા. ૧: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી બનાસ ડેરીના બોર્ડ ઓફ ડીેરકટર્સની ચૂંટણી જાહેર થતા ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં કુલ ૧૬ બેઠકો ૧૦ બેઠકો બિનહરીફ થઇ છે.
વર્તમાન ચેરમેન રાજયના પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી શંકર ચૌધરી પોતે રાધનપુર બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા છે. તેમના ૯ સાથીઓ પણ બિનહરીફ થયા છે. સત્તાવાર જાહેરાત હવે પછી થશે ડેરીમાં ફરી ચૌધરીનું શાસન નિશ્ચિત બન્યું છે.
ડેરીની સ્થાપનાને પ૦ વર્ષ થયા પ્રથમ ૪પ વર્ષની સરખામણીએ છેલ્લા ૪પ વર્ષમાં ટર્ન ઓવર બમણાથી વધી ગયું છે. વિકાસની હરણફાળને ધ્યાને લઇને મતદારોએ ફરી શ્રી ચૌધરીને સાથ આપ્યો છે સાંસદ પરબતભાઇ પટેલે પણ ઉમેદવારી કરીછે બાકીની ૬ બેઠકો બિનહરીફ કરાવવા પ્રયાસો થઇ રહ્યા છે. ફોર્મ પાછા ખેચવાની છેલ્લી તા. ૮ છે. જરૂર પડે તો મતદાન તા.ર૦મીએ થશે.